Updates SarkariYojna Trending

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમયોગીનું કામના સ્થળે અકસ્માતે મૃત્યુ થાય અથવા કાયમી અસમર્થ અને તેવી કાયમી અશક્તતા આવે તેવા કિસ્સામાં શ્રમિક તથા તેના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના લાભો :

“બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીને ચાલુ કામે, બાંધકામના સ્થળે અકસ્માતે મૃત્યુ થતા મૃતક શ્રમિકનાં વારસદારને રૂ.૩,૦૦,૦૦૦/-ની નાંણાકીય સહાય પૂરી પાડવામા આવશે જ્યારે કાયમી અશક્તતાના કિસ્સામાં રૂ.૧,૦૦,૦૦૦/- ની નાંણાકીય સહાય નોંધાયેલ શ્રમિકને આપવામાં આવશે.”

આ પણ વાંચો

ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના નિયમો

  • આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના : બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે,તેમજ નોંધણીની તારીખથી પ્રત્યેક વર્ષ નોંધણી રીન્યુ કરાવેલ હશે તેવા બાંધકામ શ્રમિકને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • અકસ્માત લાભાર્થીનાં સભ્યપદ-સમય એટલે કે ૧૮ થી ૬૦ વર્ષ દરમ્યાન થયેલ હોય તો જ અરજદાર શ્રમિકની અરજી યોગ્ય ગણાશે.
  • અકસ્માતે મૃત્યુ પામ્યાની તારીખથી મૃત્યુ પામનાર બાંધકામ શ્રમિકના વારસદારે/ ઉત્તરાધિકારીએ ત્રણ માસ સુધીની સમયમર્યાદામાં નિયત નમુનામા અરજી કરવાની રહેશે.

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાની કાર્યપદ્ધતિ

  • આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજનાના અરજદારે નિયત નમુનામાં અરજી જે તે સંબંધીત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ,ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની જે તે જિલ્લા કચેરીએ કરવાની રહેશે.
  • ઉપરોક્ત અધિકારી અરજીમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરીને સંબંધીત જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ( ફેક્ટરી ઇન્સ્પેક્ટર ) ને રજુ કરશે.
  • ઉપરોક્ત અધિકારી અરજી ફોર્મ ચકાસી ચાલુ કામે થયેલ અકસ્માત અંગેનો પોતાના અહેવાલ મંજુરી / નામંજૂરીની સ્પષ્ટ ભલામણ સહ સચિવશ્રી મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને રજુ કરશે.
  • બોર્ડનાં સચિવશ્રી સદરહુ અરજીની વિગતો તથા અભિપ્રાય પરત્વે જરૂરી ચકાસણી કરી યોજના સહાય મંજૂરી / નાંમંજુરી અંગેનો આખરી નિર્ણય કરશે.સદરહુ સહાય એકાઉન્ટ પેઇ ક્રોસ્ડ ચેકથી અથવા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા લાભાર્થીને ચૂકવવાનું રહેશે.

આ પણ વાંચો

ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટેના આવશ્યક દસ્તાવેજી પુરાવા

  • વારસદાર નો એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ
  • બોર્ડના ઓળખકાર્ડની નકલ
  • મરણનું પ્રમાણપત્ર
  • એફ.આઈ.આર.ની નકલ,પોલીસ પંચનામાની નકલ
  • કાયમી અશક્તતાનાં કિસ્સામાં સિવિલ સર્જન નું પ્રમાણપત્ર

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના માટે કેવી રીતે અરજી કરવી?

બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધાકમ શ્રમિકને મળવાપાત્ર થશે.

બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરવા અહીં ક્લિક કરો – ક્લિક here

આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના
આકસ્મિક મૃત્યુ / કાયમી અશક્તતા સહાય યોજના

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર website https://bocwwb.gujarat.gov.in/
accidental-death-of-the-aid-scheme.htm
યોજનાની માહિતી વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઑનલાઇન ફોર્મ ડાઉનલોડ કરવા કઈ site પર જવું?

https://bocwwb.gujarat.gov.in/Images/bcwwb/pdf/accidental-death-new.pdf

યોજનાની સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in/accidental-death-of-the-aid-scheme.htm છે

આ પણ વાંચો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp