ApplyOnline Trending Updates

ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 જાહેર : વધુ માહિતી માટે અહીં જુઓ…     

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 જાહેર : રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું પ્રથમ સત્રાંત મૂલ્યાંકન કરવાના હેતુસર તા. ૨૬/૧૦/૨૦૨૩ થી ૦૪/૧૧/૨૦૨૩ દરમિયાન ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 પરીક્ષા યોજાનાર છે. પ્રથમ સત્રાંત કસોટી 2023 ટાઈમ ટેબલ pdf ફાઈલમાં ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે.

ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 જાહેર

મંડળનું નામરાજ્ય પરિક્ષા બોર્ડ , ગાંધીનગર
આર્ટિકલનું નામધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 જાહેર
આર્ટિકલ કેટેગરીSarkari Result
પરીક્ષા ધોરણ3થી8
પરીક્ષા શરુ તારીખ૨૬/૧૦/૨૦૨૩
અંતિમ પરીક્ષા તારીખ૦૪/૧૧/૨૦૨૩

ધોરણ 3થી8 પ્રથમ સત્રાંત કસોટી 2023 ટાઈમ ટેબલ

ધોરણ ૩ થી ૮ની પ્રથમસત્રાંત કસોટી માટે ધ્યાનમાં રાખવાની બાબતો

  • ધોરણ ૩ થી ૮ની પ્રથમસત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવેલ છે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને સોંપવામાં આવશે.
  • સદર કસોટીમાં ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમસત્રનો જૂન થી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
    સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોની સમાન કસોટીઓ સમાન સમયપત્રકના આધારે અમલી કરવાની રહેશે.
  • જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા નિયત સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
  • તમામ પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની કસોટીઓ સમાન સમયપત્રકના આધારે નિયત પરિરૂપના આધારે કસોટીપત્રો તૈયાર કરવાના રહેશે તેમજ બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ સ્વૈચ્છિક રીતે પોતાની શાળાકક્ષાએ તૈયાર કરેલ સમયપત્રકના આધારે નિયત પરિરૂપ ધ્યાને લઈ કસોટી યોજવાની રહેશે.
  • ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
  • સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકાશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
  • રાબેતા મુજબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા કસોટીપત્રો તૈયાર કરવામાં આવશે. જેના છાપકામ, પેપરના પૂફ, ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા શિક્ષણ સમિતિ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
  • ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરવહીમાં લખવાના રહેશે.
  • સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લાતંત્રએ / કોર્પોરેશને કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
  • સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
  • કસોટીના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,
    ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે. તે અનુસાર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
  • સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
  • પ્રથમ સત્રાંત પરીક્ષાના સમયપત્રક સંદર્ભે ખાસ સંજોગોમાં પરીક્ષા પહેલા કોઈ ફેરફારને અવકાશ રહેશે.
  • પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની ગંભીર તકેદારી રાખવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ધોરણ ૩ થી ૮ની પ્રથમ સત્રાંત પરીક્ષા કાર્યક્રમ ડાઉનલોડ કરવાઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp